top of page

Teacher's Corner

 

 

              

 

 

     આદર્શ શિક્ષક

             ઇશ્વરના મનુષ્ય અવતાર તરીકે ગુરુનો ભાગ ભજવવા અંગે પૂ.સત્ય સાઇ બાબાએ સમજૂતિ આપી છે. વિદ્વાનો અને સંસ્કૃતિના શિક્ષકો કરતા આ ગુરુઓ વધારે પ્રતિષ્ઠા અને ગહન શક્તિઓ ધરાવે છે. આ ગુરુઓ માત્ર સંકલ્પથી જ શિષ્યોને અધ્યાત્મિક શક્તિ બક્ષે છે. તેમની આજ્ઞાના પ્રભાવથી નિમ્નતર સ્તરની વ્યક્તિ પણ સિધ્ધપુરુષનું પદ પામી શકે છે. અવતારો ગુરુ છે. તેઓ ભગવાનનું મનુષ્યના રૂપમાં અવતરણ કરે છે. ભગવાન બાબા કહે છે કે શૈક્ષણિક પ્રયત્નોથી સફળતા માટે આદર્શ શિક્ષકની ફરજ ઘણી જ મહત્વની છે. ઘણીવાર આલિશાન મકાનોમાં ધૂળ જેવી કેળવણી અપાય છે. અને ધૂળિયા મકાનોમાં અદભુત કેળવણી અપાય છે. મકાનો, પ્રયોગશાળાઓ, ગ્રંથાલયો, અન્ય સાધનો, રમત ગમતના મેદાનો એ શૈક્ષણિક સંસ્થા માટે મહત્વના નથી પણ સમસ્ત વિશ્વનું, દેશનું, સમાજનું કે વિદ્યાર્થીઓનું ભાવિ ઘડતા શિક્ષકોની ગુણવત્તા મહત્વની છે.

        

 

 

                    

માનવ શરીરમાં અને ટેકનોલોજીમાં ધાતુઓ અને મિશ્રધાતુઓનો ફાળો

 

        આપણા રોજિંદા જીવન સાથે કેટલીક ચીજવસ્તુઓ એટલી બધી વણાઇ ગઇ છે કે આપણે તેના વિશે વધુ વિચારતા નથી. તેનું એક દ્રષ્ટાંત છે ધાતુઓ! આપણા રોજિંદા જીવનમાંથી ધાતુઓને ખેંચી લો અને કલ્પના કરો કે ધાતુઓ વિનાનું માનવજીવન કેવું હોય! વિજ્ઞાને કરેલી તમામ ટેકનોલોજીકલ પ્રગતિનો છેદ ઊડી જાય! તેમાંય મિશ્રધાતુઓ ( વિવિધ ધાતુઓના મિશ્રણથી તૈયાર થયેલ ધાતુઓ) વિના વિમાનો, રોકેટો અને સ્પેસ શટલ જેવા અવકાશયાનોની કલ્પના પણ ન થઇ શકે, ટ્રેનો દોડી ન શકે, મોટરકાર કે જહાજોનું નિર્માણ ન થઇ શકે. માનવ શરીરમાં કેટલીક ચોક્કસ ધાતુઓ ઓછી માત્રામાં અસ્તિત્વ ધરાવીને પણ શરીરની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં ચાવીરૂપ ફાળો આપે છે.

        પૃથ્વીમાંથી મળી આવતા તત્વોમાંથી આશરે ૭૦% જેટલા તત્વો ધાતુઓ છે. બાકીના અધાતુ તત્વો છે. પ્રાચીનકાળથી માનવ ધાતુઓનો ઉપયોગ કરતો આવ્યો છે. ‘યજુર્વેદ’ ગ્રંથના એક મંત્રમાં સોનું, તાંબુ, લોખંડ, સીસું, કલાઇ તથા કાંસુનો ઉલ્લેખ થયેલો છે.

            માનવપ્રગતિમાં ધાતુઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે. આથી માનવપ્રગતિના યુગોના નામ જે-તે સમયે જે ધાતુઓ વપરાતી હતી તેનાં પરથી પાડ્યાં છે. જેમ કે કાંસાયુગ, લોહયુગ, વગેરે.

       

 

 

                                                                        

        ધાતુઓ કેટલીક લાક્ષણિક્તાઓ ધરાવે છે જેમ કે તેમને ભાંગ્યા વિના વાળી શકાય છે, ગરમ હોય ત્યારે હથોડા વડે ટીપીને તેમને જુદા જુદા ઘાટ આપી શકય છે. તેમજ પારા સિવાય કોઇપણ ઘન ધાતુને ખેંચીને તેમાંથી તાર પણ બનાવી શકાય છે. ધાતુઓ વીજળી, ઉષ્માની સુવાહક હોય છે.

        બહુ થોડી ધાતુઓ જમીનમાં શુધ્દ્ર સ્વરૂપમાં જોવા મળે છે. તેમાં પ્લેટિનમ , ચાંદી , તાંબુ અને સોનાનો સમાવેશ થાય છે. મોટા ભાગની ધાતુઓ કાચા ખનિજ સ્વરુપમાં મળી આવે છે. કાચી ખનિજ ઉપર વિવિધ પ્રક્રિયા કરી તેમાંથી ધાતુઓ મેળવવામાં આવે છે.ત્યાર બાદ ધાતુઓમાંથી મિશ્રધાતુઓ બનાવવામાં આવે છે. મિશ્રધાતુ તે જેમાંથી બની હોય તે ધાતુઓ કરતાં જુદા જ પ્રકારની હોય છે. ઉ.દા કાંસુ સખત , મજબુત છે, ક્ટાતુ નથી. અને તે તાંબુ અને ટિનમાંથી બનાવેલ મિશ્ર ધાતુ છે. કાંસાની તુલનામાં તાંબુ અને ટિન નબળી અને નરમ ધાતુ છે. સેંકડો જેટલી વિવિધ મિશ્રધાતુઓ બનાવાઇ છે, અને તેનો વિવિધ ક્ષેત્રે ઉપયોગ થાય છે.તેમાંની કેટલીક ધાતુઓ અને તેની મિશ્રધાતુઓની ઉપયોગિતા નીચે મુજબ છે .

 

   ટેકનોલોજીમાં ધાતુઓ અને મિશ્રધાતુઓની ઉપયોગિતા :-

 

1

 

આયર્ન (Fe):

લોખંડ     

 

રેલ્વેના પાટા, સળિયા, વહાણના લંગર, સાંકળો, ગટરના પાઇપ, ખેતીવાડીના સાધનો , ઓટોમોબાઇલ અને એરોપ્લેનના ભાગો, લોલકો, કાપવાના, દળવાના યંત્રોમાં , સાઇકલ,  વાસણો, બ્લેડ, વાઢકાપના સાધનો , ખડક તોડવાના યંત્રોના દાંતાની બનાવટમાં , બોલબેરિંગમાં.

2

એલ્યુમિનિયમ (Al):

હાઇવૉલ્ટેજ કેબલ, પીણા માટેના વાસણો, ઍરોપ્લેનના ભાગો, વૈજ્ઞાનિકતુલાના ભાગોની બનાવટમાં, ચલણી સિક્કા, ઘરવપરાશના સાધનો, વીજળીના તાર, Al ના પાતળા વરખનો ઉપયોગ ગરમ પદાર્થને ગરમ રાખવામાં, પેકિંગમાં.

3

કોપર (Cu) તાંબુ:

વીજળીના તાર, ચલણી સિક્કા, સોનાના ઘરેણાને ટકાઉ બનાવવા, પ્લંબિગમાં વપરાતા પાઇપ બનાવવા, કલાકૃતિ, વિદ્યુતીય સાધનો, બખ્તર, કુહાડી.

4

મરક્યુરી (Hg):

થર્મોમિટર.    

5

સિલ્વર (Ag): ચાંદી

શણગારની વસ્તુઓ, ફોટોગ્રાફી, ધાતુઓ પર ચાંદીનો ઢોળ ચઢાવવા.

6

નિકલ (Ni):

સિક્કા બનાવવામાં, રોધક તાર તરીકે વિદ્યુતભઠ્ઠીમાં અને વિદ્યુત તાપકો (Electric Heater) માં.

7

ગોલ્ડ (Au) સોનું:

ઝવેરાત, પરાવર્તક ઢોળ ચઢાવવા.

8

લેડ (Pb):

ઝારણ, કેબલ, સ્ટૉરેજ બેટરીના વિદ્યુતધ્રુવો, વોટરપ્રુફ છાપરા માટેની શીટ બનાવવા.

9

ઝિંક (Zn):

વિદ્યુતીય કોષ, લોખંડના પતરા પર ઢોળ ચઢાવી ગેલ્વેનાઇઝ્ડ આયર્ન ક્ષારણથી રક્ષણ મેળવવા ઉપયોગી.

1૦

પ્લેટિનમ (Pt):

ઝવેરાત, કાર એક્ઝોસ્ટમાં ઉદ્દીપક તરીકે.

11

ટંગસ્ટન (W):

લાઇટ બલ્બમાં ફિલામેંટ, કરવત અને શારડીની ધાર.

12

ક્રોમિયમ (Cr):

સાઇકલના પૈંડા, સ્કુટર તથા મોટરકારના ઘણા ભાગો પર ક્રોમિયમનું પડ ચડાવવામાં આવે છે. આ પડ કટાતુ નથી જેથી લોખંડને કાટ સામે રક્ષણ મળે.

13

સિરિયમ (Ce):

સિરિયમની મિશ્રધાતુ સિગારેટ અને ગેસ લાઇટરની પથરીઓમાં વપરાય.

14

યુરેનિયમ (U):

ન્યુક્લિયર રિએક્ટરમાં વિદ્યુતઊર્જાના ઉત્પાદનમાં.

           શ્રી ગોવિંદભાઇ ચૌધરી

           મદદનીશ શિક્ષક (સેકન્ડરી)

  • શ્રી હિનાબેન નાયક

                મદદનીશ શિક્ષક (ઉ.મા.)

             સારો શિષ્ય સહેલાઇથી મળે પણ સારો ગુરુ મેળવવાનું કાર્ય કપરું છે. ભૂતકાળમાં અન્વેષકોએ અનુભૂતિ દ્વારા મેળવેલ જ્ઞાનના ભંડાર સમાન શાસ્ત્રોમાં માત્ર ગહન અભ્યાસથી જ દ્રષ્ટા બની શકાય નહિ પરંતુ શાસ્ત્રોનું જ્ઞાન અને વ્યવહારિક ઉપયોગ દ્વારા અનુભૂતિ આ બે વસ્તુઓ સાથે હોય તો જ માણસ પૂર્ણ બની શકે છે. ‘ગુરુ’ નો સાહિત્યિક અર્થ ‘મોટી વ્યક્તિ’ ‘મહાન પુરુષ’ એમ થાય છે. ગુરુઓએ વિદ્યા અને તપ પર પ્રભુત્વ મેળવ્યું છે. પૂ. બાબા આ ખ્યાલને બહુ જ અનૌપચારિક રીતથી સમજાવે છે. તેઓ કહે છે, કે કપડાનો મેલ સાફ કરવા માટે સાબુ અને સ્વચ્છ પાણી એમ બંને વસ્તુની જરૂર પડે છે. આ પ્રમાણે મનમાં રહેલ મેલને સાફ કરવા માટે વિદ્યા અને તપ બંને જરૂરી છે. બંનેનો સાથે ઉપયોગ થાય ત્યારે જ જાગૃતિની કક્ષાએ સંપૂર્ણ રીતે સ્વચ્છ થવાય છે. કોઇપણ વાહન બે પૈંડા વિના ચાલી ન શકે, પક્ષી બે પાંખ વિના ઉડી ન શકે, આ પ્રમાણે આદર્શ, પ્રવિત્ર અને શુધ્ધ થવા માટે વિદ્યા અને તપ બંને પ્રાપ્ત કરવા જરૂરી છે.

           ભગવાન પૂ. બાબા આદર્શ શિક્ષક અને આદર્શ વિદ્યાર્થી માટે ગીતાજીનો સંદર્ભ લઇ સુંદર ઉદાહરણ આપે છે. વિદ્યાર્થીએ અધિકારમૂર્તિ છે. અને ગુરુ એ અવતારમૂર્તિ છે. અર્જુને અભ્યાસ કરવાનો અધિકાર પ્રાપ્ત કર્યો, કૃષ્ણ માનવ અવતાર લઇને માનવને શીખવવા આવ્યા. વિદ્યાર્થી નરોત્તમ (નરોમાં ઉત્તમ) છે. અને ગુરુ એ પુરુષોત્તમ છે. વિદ્યાર્થી ધનુષ્ય ધરાવે છે. શિક્ષક યોગના કૌશલ્યની ગહનતા ધરાવે છે. તે યોગેશ્વર છે. અર્જુન ધનુર્ધર છે. આ બંનેનો મેળાપ થાય ત્યારે વિદ્યા બ્રહમવિદ્યા બને છે.

           વિદ્યાર્થી સંપૂર્ણ રીતે પોતાનું જે કંઇ હોય તે શિક્ષકને સમર્પણ કરે તો તેનો ગેરલાભ લઇ શિક્ષકે નિર્દય બની વિદ્યાર્થીને હુકમ કરવા જોઇએ નહિ, લોભી ગુરુએ સંપત્તિના ચોર વિત્તાપહારી ન બનવું જોઇએ. પરંતુ તેણે હ્રદયના ચોર હ્રદયાયહારી બનવું જોઇએ. ગુરુએ એલાર્મ ઘડિયાળ જેવું કાર્ય કરવાનું છે. અજ્ઞાનની નિંદ્રામાં ઘેરાયેલા વિદ્યાર્થીને જાગૃત કરવાનો છે. તેને આત્મજ્ઞાનની કેળવણી આપવાની છે.

           ભગવાન પૂ.બાબા શિક્ષકો અને વાલીઓને ખાસ જણાવે છે, કે જેના પર બધુ આધારિત છે. તે સ્ત્રોતની શોધ કરવી જોઇએ ધન, સંપત્તિ વગેરેની પ્રાપ્તિ એ દુન્વયી જીવન માટે છે. પણ જ્ઞાન, ચારિત્ર્ય અને સંસ્કાર સમૃધ્ધિ એ હાલના જીવન અને પછીના જીવનમાં પણ સાથે જ રહે છે. તે શાશ્વત મૂલ્ય ધરાવે છે.

          માણસ પાસે અઢળક સંપત્તિ હોય પણ માનવતા જ ન હોય તો તે સંપત્તિ નિરર્થક છે. આપણે વિદ્યાર્થીઓને જે કાંઇ શિખવીએ તેના આંતરપ્રવાહમાં તો આધ્યાત્મિકતા જ હોવી જોઇએ. આધ્યાત્મિકતાના અભાવે જ આજકાલ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કેળવણીકારોમાં અસંતોષની લાગણી ફેલાયેલી છે. અનેક શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષક હોવા છતા ક્યાય કોઇનેય પણ વાસ્તવમાં જ્ઞાનમૃત પ્રાપ્ત થયું હોય તેમ જણાતું નથી થોડુંક જ્ઞાન પ્રાપ્ત થાય એટલે શિક્ષકોના માથા ફૂલી તેમને ગર્વ થાય છે. જેમને પતરાળી પર સહેજ પણ ખોરાક પીરસ્યો ન હોય તો પતરાળી સહેજ પણ પવન આવતા ઉડાઉડ કરે છે. જ્યારે જે પતરાળી પર સંપૂર્ણ ખોરાક મૂક્યો હોય તો તે પતરાળી સ્થિર રહે છે. તેમ સાચો શિક્ષક સ્વસ્થ અને શાંત હોય છે. ગર્વિષ્ઠ શિક્ષકો ખાલી પતરાળી જેવા હોય છે. સાચુ જ્ઞાન પ્રાપ્ત કરેલ માનવીય ગુણો ધરાવનાર શિક્ષક નમ્ર હોય છે. અને હંમેશા આનંદમગ્ન રહે છે.

          શિક્ષક જ વિદ્યાર્થીને ધ્યેય અને દિશા બતાવે છે. વિદ્યાર્થી પાસે ધ્યેય પ્રાપ્તિ માટે સાચી દિશામાં પ્રયત્ન કરાવે છે. સમગ્ર માનવજાતની બુધ્ધિશક્તિ, પ્રતિષ્ઠા, મોભો, કૌશલ્ય એ શિક્ષકોના ચારિત્ર્ય અને ગુણવત્તાના પ્રમાણમાં હોય છે. "ચારિત્ર્ય વિનાનું જીવન" એ દીપક વિનાના મંદિર જેવું, ખોટા સિક્કા જેવું, કપાયેલી દોરીવાળા પતંગ જેવું હોય છે. જેવો ‘રાજા તેવી પ્રજા’ તે જ પ્રમાણે જેવો 'શિક્ષક તેવો વિદ્યાર્થી' તેમ કહી શકાય, શિક્ષકોએ ઉચ્ચ વિચારો કેળવવા જોઇએ, ત્યાગની ભાવનાવાળુ જીવન જીવવું જોઇએ. સાચો શિક્ષક આધ્યાત્મિક વિજ્ઞાનમાં પારંગત હોય છે. આ વિજ્ઞાન જ પરમ સત્ય તરફ લઇ જાય છે. બધા જ વ્યવસાયોમાં શિક્ષકનો વ્યવસાય સત્યના આદર્શને વરેલો હોય છે. જો શિક્ષક સત્યની ઉપેક્ષા કરે તો સમાજ પર આપત્તિ જ ઉતરે.

          ત્રણ શિક્ષકો:

          દરેકને ત્રણ શિક્ષકો છે. પ્રથમ મા-બાપ, બાળકોને સગવડ આપવા તેઓ જીવનનો ત્યાગ કરે છે. તેઓની સારી સંભાળ રાખીને મા-બાપ પોતાના બાળકોને પ્રત્યક્ષ જ્ઞાન આપે છે. બીજો શિક્ષક ગુરુ છે. એ વિદ્યાર્થીને વિવેકબુધ્ધિ વાપરવાનું અને તેનામાં રહેલા વિશ્વને પામવાનો સાચો રાહ બતાવવાનું માર્ગદર્શન આપે છે. ત્રીજો શિક્ષક તમારુ પોતાનું અંત:કરણ છે. એ દિવ્ય છે. અને તમને સાચો નિર્ણય લેવામાં હંમેશ મદદરૂપ થાય છે. જ્યારે કોઇ દુષ્કૃત્ય કરવા માટે કે અસત્ય બોલવા માટે પ્રયત્ન કરે છે ત્યારે અંત:કરણ બળવો પોકારે છે. અને એને ચેતવે છે કે એ સાચો નથી.

         Thought:

  1. “Education should build the character. If it is not then it has no value.”

  2. “Education is not for living. It should be for life only.”

 

   માનવ શરીરમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયાઓમાં ધાતુનો ફાળો :-

 

1  લોહ  (Fe)               : રૂધિરના હિમોગ્લોબીનના બંધારણમાં, સ્નાયુના માયોગ્લોબીનના બંધારણમાં તેમજ શ્વસનક્રિયામાં .                       

2  ઝિંક  (Zn)               : શરીરમાં સામાન્ય વૃધ્ધિ, પ્રજનન ક્રિયામાં તથા ઘસારો પામતા કોષોના સમારકામમાં.

3  મેંગેનિઝ  (Mn)      : હાડકાંની વૃધ્ધિ અને પ્રજનન ક્રિયામાં.

4  મૅગ્નેશિયમ (Mg)  : હાડકાં અને દાંતની મજબૂતી માટે.

5  કૅલ્શિયમ  (Ca)      : હાડકાં અને દાંતની મજબૂતી માટે, રૂધિર ગંઠાવાની ક્રિયા માટે, સ્નાયુ સંકોચનમાં              .

6  મોલિબ્ડેનમ (Mo) : આંતરડામાં વિવિધ પદાર્થોના પાચનમાં.            

7  સોડિયમ (Na) અને પૉટેશિયમ (K): ચેતાતંતુ દ્વારા થતા ઊર્મિવેગના વહનમાં.

8  નિકલ    (Ni)          : લોહતત્વની શોષણ ક્રિયાવિધિ માટે જરૂરી.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

  

Formative Assessment અને Summative assessment ( F. A. / S. A ) વિચાર મનોમંથન

પ્રસ્તાવના :

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે એક તંદુરસ્ત પગલું ભરીને બાળકોનાં વિશાળ હિતને  ધ્યાનમાં લઈ ભવિષ્યની ઈમારતને વધુ મજબુત બનાવવા માટે પુખ્ત વિચારણા કરીને બાળકોને અપાતું શિક્ષણ ચિરકાલીન સ્મરણ રહે તે માટે Formative assessment / Summative assessment ( F. A. / S. A. ) માધ્યમિક શિક્ષણક્ષેત્રે દાખલ કર્યુ. જેના સારા પરિણામો આવનારા દિવસોમાં જોવા મળશે. UPSC, GPSC, IIT, IIM, JEE, NEET જેવી મહત્વની પરીક્ષાઓમાં ગુજરાતનો બાળક સ્પર્ધાઓમાં ટકી શકે તેવા વિશાળ ઉદેશને ધ્યાનમાં લઈ સરકારશ્રીનો શિક્ષણ વિભાગ અભિનંદનને પાત્ર છે,

What is Formative Assessment ?

Formative assessment :

The goal of formative assessment is to monitor student learning to provide on going feedback that can be used by instructors to improve their teaching and by students to improve their learning. More specifically, formative assessments:

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ડો. કિશોરભાઇ પટેલ

Co-Ordinator

1. નબળા ક્ષેત્રની ઓળખ :

Formative Assessment દ્વારા બાળકમાં રહેલ શૈક્ષણિક નબળાઈને જાણીને તેણે ( Subject Teacher ) તેના ( Students ) વિકાસમાં કયા ક્ષેત્રમાં ( Target areas ) કાર્ય કરવાનું તે જાણી શકાય છે. તેની કચાશને જાણી તુરંત દુર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. 

“ When the cook tastes the soup, that’s formative;

when the guests taste the soup, that’s summative.”

                                                                                 – Robert Stakes.

અર્થાત

રસોઈઓ સુપ બનાવીને ટેસ્ટ કરે તો તે Formative Assessment કહેવાય

જ્યારે

મહેમાનો સુપનો ટેસ્ટ કરે તો તે Summative assessment કહેવાય

અહીં કહેવાનો ભાવાર્થ એ છે કે શિક્ષક વર્ગખંડમાં ભણાવતા પહેલાં તેના શિક્ષણની દીર્ઘકાલીન હકારાત્મક અસર થશે કે કેમ? તેની ચકાસણી સતત કરવાની રહે છે.

“ શિક્ષણરૂપી રસોઈ બનાવનારો ( Teacher ) સ્મિતરૂપી મસાલો,

પ્રેમરૂપી વઘાર કરશે નહિ, ત્યાં સુધી શિક્ષણરૂપી રસોઈનો સ્વાદ ચાખવા

બાળકોની હાજરી વર્ગખંડમાં પાંખી જ રહેશે.”

ટૂંકમાં પોતાના વર્ગખંડના શિક્ષણને વધુ રસાસ્વાદ બનાવવા માટે શિક્ષકે શિક્ષણની નવી નવી તરકીબો અજમાવવાનો સમય હવે આવી ગયો છે. કોઈ એક પાઠ કે લેશન કોઈ એક જ પધ્ધત્તિએ ન ભણાવતા તેને જુદા જુદા એકમોમાં ( Topic / Unit ) વિભાજન કરી જો અલગ અલગ પધ્ધત્તિએ ભણાવવામાં આવે તો તે પાઠને સમજાવવામાં અને બાળકને સરળતાથી શિક્ષક સમજવામાં રસ પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 

2. બાળકના ભયને ભગાડો : 

સૌ પ્રથમ વિદ્યાર્થીની કચાશ જાણીને તે ક્ષેત્રને જ ટારગેટ બનાવીને તેમાંથી બાળકને બહાર લાવવાની તાતી જરૂરિયાત છે, આપણે ઘણીવાર ન્યુઝ પેપરમાં વાંચીએ છીએ કે પરીક્ષાના સમયે બાળક હતાશામાં ગરકાવ થઈ જાય છે.

Formative Evaluation:

What, Why, When, and How

બાળકના સર્વાંગી વિકાસમાં આ બાબત ખુબ જ મહત્વની સાબિત થાય છે. વાલી મિટીંગમાં બાળકના અસાધારણ વર્તનની નોંધ લઈ યોગ્ય સમયે માવજત કરવામાં આવે તો બાળકને હતાશામાં ગરકાવ થતાં અટકાવી શકાય.

“ Identify their Students weaknesses and target areas that need work ”

પરીક્ષાના પરિણામ પછી બાળકોના ઓછા ટકા આવવાને કારણે જે પરિણામ આપણે છાપાઓમાં વાંચીએ છીએ તે જેની પાસે હ્ર્દય જેવી નાજુક ચીજ જીવંત તેવા  હ્ર્દયવાળા શિક્ષકને સાચે જ વેદના આપનાર હોય છે.

જીવનમાં એકલા ટકા જ મહત્વના નથી એ બાબત શિક્ષકે વાલીઓ અને પોતાના વર્ગખંડના બાળકોને સમજાવવા પડશે તેનું જ નામ Formative Assessment કહેવાય.

“ Formative assessment is more valuable for day-to-day teaching. ”

આવી સાચી સમજ આપવાના આપના પ્રયત્નો સમગ્ર શિક્ષણ સમાજ ચિરકાલીન સુધી યાદ રાખશે એજ Formative Assessment કહેવાય.

What is Summative Assessment ?

Summative Assessment :

 “ Summative assessment is the process of evaluating (and grading) the learning of students at a point in time. Summative assessment at the district/classroom level is an accountability measure that is generally used as part of the grading process.”  

Summative assessment નો મુખ્ય ઉદેશ એ છે કે કોઈ વિષય વસ્તુ કે પાઠ્યક્રમને અંતે બાળકનું સર્વાંગી મુલ્યાંકન કરવાનું છે. તેને અપાયેલ શિક્ષણ દ્વારા તેના વિવિધ Skill Develop થી છે કે નહિ તે જોઈને ગ્રેડીંગ આપવાનું કામ શિક્ષકે કરવાનું છે.

Summative assessment માં બાળકના વિકાસને માપવા માટે વિવિધ પ્રકારની કસોટીઓ પ્રમાણિત થયેલ છે તે દ્વારા આપ તેનું સાચું મુલ્યાંકન કરી શકો છો જેમકે,

Summative assessments are often high stakes, which means that they have a high point value.

* Examples of summative assessments include:

  • a midterm exam

  • a final project

  • a paper

  • a senior recital

1. સર્વાંગી વિકાસ ( All round Development ) :

        બાળક શું જાણે છે અને શું નથી જાણતો તેવી ભેદ પરખ શક્તિ શિક્ષકે પોતાના વર્ગખંડના શિક્ષણમાં વિકસાવવી પડશે. જેથી તેની વિકાસના અવરોધક પરિબળોને દુર કરવામાં મદદરૂપ નિવડી શકે.

“ Formative assessment  there is more teaching,

more learning, less stress,

and less grudge work.”

Formative assessment માં બાળક વધુને વધુ શિક્ષણ આપી જાતે શીખતો થાય, તે પાયાની બાબત છે. ઓછામાં ઓછી મુશ્કેલીઓનો સામનો કરવાનો થાય તે જોવાનું છે.

શિક્ષકે વર્ગખંડનું શિક્ષણ બાળક્ને કેન્દ્ર સ્થાને રાખીને કરવાનું છે. તેનામાં સમજ શક્તિ

( Understanding Power ), સ્મરણ શક્તિ (Grasping Power), આવડત-કુનેહ (Skill Development) નો વિકાસ થયો કે કેમ તે જોવાનું કામ શિક્ષકનું છે.

The aim of formative assessment is to improve the amount of learning that occurs.

The aim of summative assessment is to prove that learning has occurred.

કોઈ સમસ્યાનો ઉકેલ લાવવાનું સોંપવામાં આવે તો તે સહજતાથી તે ઉકેલી શકે ખરો ? તે શિક્ષણ આપવાનું કામ હવે ગુજરાતના વર્ગખંડો અપાશે.

“summative is a summary.”

The idea is that it summarises how the trainee has performed at the end of the training.

Finally,

What is the difference between Formative and Summative Evaluation ?

•   Formative evaluation is qualitative while summative evaluation is quantitative.

•   Formative evaluation is a continuous process while summative evaluation is an event that

    takes place at the end of an instructional unit.

•   Summative evaluation is formal and takes the shape of quizzes and written tests whereas

    formative evaluation is informal such as homework and projects.

•   The aim of formative evaluation is to improve upon what has been learnt whereas the aim

    of summative evaluation is to prove the amount of learning that has taken place.

શિક્ષણ પવિત્ર ધર્મ છે

  • શિક્ષણ એ જીવનવિકાસ માટે હોય તો તે વિદ્યા છે.

  • શિક્ષણ એ માત્ર આર્થિક પ્રવૃત્તિ માટે હોય તો તે વેપાર છે.

  • શિક્ષણ એ માત્ર આધ્યાત્મિક વિકાસ માટે હોય તો તે સાધના છે.

  • શિક્ષણ એ માત્ર ટાઇમપાસનું સાધન હોય તો તે વેઠ છે.

  • શિક્ષણ એ કોઇને બતાવવા માટે હોય તો તે ઢોંગ છે.

 

  • શિક્ષણ એ આજીવિકાના સાધન માટે હોય તો તે કલા છે.

  • શિક્ષણ એ ફરજના રૂપમાં અપાતું હોય તો તે કર્તવ્ય છે.

  • શિક્ષણ એ સેવાના રૂપમાં અપાતું હોય તો તે સંસ્કાર છે.

  • શિક્ષણ એ માનવ વિકાસ માટે હોય તો તે કર્મયોગ છે.

  • આમાંથી એક પણ માટે ન હોય તો એ ફેશન છે.

આપણે કર્મયોગી છીએ. શિક્ષણ ધંધો નથી, પવિત્ર ધર્મ છે.

સંકલન - માધ્યમિક શિક્ષણ પરિક્ષણ

શ્રી ગીતાબેન પટેલ

નિરીક્ષક (ઉ.મા.)

bottom of page